જૂનાગઢ જિલ્લો ઉતર અક્ષાંશ ર૦.૪૪ અને ૨૧.૪૦ તથા પૂર્વ રેખાંશ ૬૯.૪૦ અને ૭૧.૦પ ઉપર આવેલો છે. હાલના આ જિલ્લાનું અસ્તિત્વ તા. ૧૯/૪/૧૯૪૯ થી જૂનાગઢ તેમજ આજુબાજુના અન્ય દેશી રજવાડાનાં વિલીનકરણથી થયુ. આ રજવાડામાં જૂનાગઢ, માણાવદર, માંગરોળ, બાંટવા, સરદારગઢ મુખ્ય હતાં. આ જિલ્લાનો કુલ વિસ્તાર નવા જિલ્લાના વિભાજન મુજબ ૮૮૮૧.૮ ચો. કી. મી. છે.